Ads

17 જુલાઈ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


17 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 17/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/


17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 17 જુલાઈ 2022

17 July Other Quiz Bank Question No. 1 To 125

  • 1. PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?
  • 2. કઈ યોજનાથી ગુજરાતનો ખેડૂત વિશ્વના સંપર્કમાં આવ્યો ?
  • 3. ભારતમાં પીએમ કિસાન યોજના કયા વર્ષથી કાર્યરત થઈ છે ?
  • 4. ગુજરાત રાજ્યમાં ઈન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ કયા સ્થળે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ?
  • 5. ગુજરાતમાં ગીર ગાય અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
  • 6. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ખાતા માટેનું માછીમારી બોટનુ રજિસ્ટ્રેશનનું વેબ બેઝ પોર્ટલ કયું છે ?
  • 7. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના ક્યારે શરૂ કરી ?
  • 8. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે કઈ યોજના અંતર્ગત દર મહિને રૂ. 15,000 મળી શકે ?
  • 9. ફિલેટલી (શોખ તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનના પ્રોત્સાહન માટે શિષ્યવૃત્તિ)ને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 10. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે અપાતી ચીફ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમનું સંક્ષિપ્ત રૂપ કયું છે ?
  • 11. ઇનોવેશનને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ વ્યાપ વધારવા કોલેજોમાં શેની રચના કરવામાં આવી છે ?
  • 12. MBBS કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય કરવાની યોજના કઈ છે ?
  • 13. SSIP નીતિના વધુ સારા અમલીકરણ અને લાભો માટે ગુજરાત સરકાર દ્વારા SSIP હેઠળ કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ?
  • 14. કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે ?
  • 15. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 700 મેગા વોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ?
  • 16. ભારતમાં પવન ઊર્જાના ઉત્પાદનમાં બીજું સૌથી મોટું રાજ્ય કયું છે ?
  • 17. કોને એનર્જી એફિશિયન્ટ યુનિટ તરીકે ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા માટેનો CII રાષ્ટ્રીય પુરસ્કાર-2013 મળ્યો હતો ?
  • 18. સોલાર ચરખા મિશનનો શુભારંભ કોણે કર્યો હતો ?
  • 19. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયાં આવેલો છે ?
  • 20. PFMSને લાગુ કરનાર કચેરીનું નામ જણાવો.
  • 21. જો કોઈ એકમ એક જ રાજ્યમાં એકથી વધુ શાખાઓ ધરાવતું હોય, તો બધી જ શાખાઓ માટે GST નોંધણીનો શો નિયમ છે ?
  • 22. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?
  • 23. અટલ પેન્શન યોજના અંતર્ગત 6 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ?
  • 24. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • 25. ગુજરાત સરકાર દ્વારા તા 31/01/2022ની સ્થિતિએ નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમયાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ કોરોના વોરિયર્સના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને કેટલી રકમની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 26. મોઢેરા સૂર્યમંદિરનું  નિર્માણ સોલંકી વંશના કયા રાજાએ કર્યું હતું ?
  • 27. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાયેલા વર્ષ 2020ના 25મા વસંતોત્સવની થીમ શી હતી ?
  • 28. મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ?
  • 29. ચરકુલા નૃત્ય કયા રાજ્યમાં ભજવાય છે ?
  • 30. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદગુરુનો જીવનકાળ ક્યો છે ?
  • 31. જંગલ વિસ્તારમાં રહેતા કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કુટુંબદીઠ દરવર્ષે કેટલા વાંસ આપવામાં આવે છે ?
  • 32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ ક્યાંથી મળશે ?
  • 33. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે ?
  • 34. ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વાવેતરમાંથી સ્થાનિક લોકો કયી કિમતે લઈ જઈ શકે છે ?
  • 35. વિરાસત વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 36. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી ગ્રામ પંચાયતોને કેટલા રોપાની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?
  • 37. ભારતમાં, ગુજરાતનાં મેન્ગ્રોવ આવરણ કયા નંબર પર છે ?
  • 38. ISFR રિપોર્ટ હેઠળ નીચેનામાંથી શેનું મૂલ્યાંકન કરાય છે ?
  • 39. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?
  • 40. ભારતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  • 41. કયા સમયગાળા દરમિયાન તમામ ખાદી ગ્રામોદ્યોગ ભવનો લોકોને વિવિધ ખાદી ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપે છે ?
  • 42. NAPCCનું પૂરું નામ શું છે ?
  • 43. NAMO ટેબ્લેટ કોને આપવામાં આવે છે ?
  • 44. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?
  • 45. નીચેના પૈકીનું કયું સ્થળ ગુજરાત સરકાર દ્વારા ઇકો કેમ્પ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
  • 46. કયો વિભાગ હોમગાર્ડઝની પ્રવ્રૃત્તિને માર્ગદર્શન આપે છે ?
  • 47. ભારતીય નૌ સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
  • 49. RKSKનું પૂરું નામ આપો.
  • 50. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 51. ભારતમાં સ્વદેશી અને વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીના શિક્ષણ, સંશોધન અને પ્રસાર માટે કયું મંત્રાલય જવાબદાર છે ?
  • 52. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ?
  • 53. ગર્ભાવસ્થા અને ડિલિવરી સેવાઓ સંબંધિત પ્રશ્નો માટે આપણે કોનો સંપર્ક કરવો જોઈએ ?
  • 54. કયા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે ?
  • 55. કેટલા વર્ષ સુધી બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવાનાં રહે છે ?
  • 56. રોગી કલ્યાણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 57. મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય છે ?
  • 58. ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે નીચેના પૈકી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ?
  • 59. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
  • 60. દેશમાં ડેનિમના ઉત્પાદક તરીકે ગુજરાતનું કયું સ્થાન છે ?
  • 61. બેલાડિલા શેના માટે પ્રખ્યાત છે ?
  • 62. નીચેનામાંથી કયા રાજ્યમાં હટ્ટી સોનાની ખાણ આવેલી છે ?
  • 63. નીચેનામાંથી કયા શહેરની ઔદ્યોગિક વસાહતમાં મેડીકલ વાન કાર્યરત છે ?
  • 64. ભારત સરકારની સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમથી કેવો લાભ મળવાપાત્ર છે ?
  • 65. ગુજરાત સરકારે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી માટે કઈ એજન્સીને શ્રમિક સહાયતા કેન્દ્ર તરીકે જાહેર કરી છે ?
  • 66. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ કેટલું કવચ પૂરું પાડવામાં આવે છે ?
  • 67. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 68. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાનોમાં જરૂરી કૌશલ્યના વિકાસ માટેનું સ્કિલ ઇન્ડિયા મિશન ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 69. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કામદારની દીકરીને એનાયત કરાયેલા બોન્ડને કોણ વટાવી શકે છે ?
  • 70. કયો અધિનિયમ સિવિલ એરક્રાફ્ટનું ઉત્પાદન, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, આયાત અને નિકાસ અને એરોડ્રામના લાઇસન્સનું નિયમન કરે છે ?
  • 71. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 72. મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ?
  • 73. ભારતમાં કયા પ્રકારનો સમાજવાદ છે ?
  • 74. રાજ્યના રાજ્યપાલને કેવી રીતે હટાવી શકાય ?
  • 75. સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 76. PANનો અર્થ શું છે ?
  • 77. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે ?
  • 78. અર્બન વાઇફાઇ અંતર્ગત wifi hotspotનું નામ શું છે ?
  • 79. અટલ ભુજલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
  • 80. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
  • 81. કઈ સિંચાઈ પ્રથા મહત્તમ જળ સંરક્ષણ તરફ દોરી જાય છે ?
  • 82. કયા રાજ્યમાં વાંસ-ટપક-સિંચાઈ પદ્ધતિ પ્રચલિત છે?
  • 83. કડાણા જળાશય અને નર્મદાના વધારાના પૂરના પાણીને ગુજરાતમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં વાળવા માટે કઈ કેનાલની સ્થાપના કરવામાં આવી છે ?
  • 84. GOG દ્વારા ઉપયોગમાં લેવાતી ભૂંગરૂ તકનીક શું છે ?
  • 85. ગામડાઓમાં પાણી પુરવઠાને માપવા અને મોનિટર કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ પ્રકારની આધુનિક ટેકનોલોજી આધારિત સિસ્ટમ મૂકવામાં આવી છે ?
  • 86. માર્ચ 2022થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કેટલા લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું ?
  • 87. જામનગર કઈ નદીના કિનારે આવેલ છે ?
  • 88. શહેરી વિસ્તારમાં મળતી સગવડો ગ્રામ્ય કક્ષાએ મળે તે હેતુથી કયું મિશન કાર્યરત છે ?
  • 89. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?
  • 90. સ્વામિત્વ (SVAMITVA) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 91. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ તીર્થ ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ?
  • 92. ઈ-ગ્રામ સ્વરાજ એ શું છે ?
  • 93. મુરમુગાવ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
  • 94. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  • 95. સીમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતમાં કયા સ્થળે થયું હતું ?
  • 96. ભારત સરકારની કઈ પહેલ હેઠળ વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઈન અને ઉત્પાદન ચેન્નઈના પેરામ્બુર ખાતે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા કરવામાં આવ્યું હતું ?
  • 97. મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલ સૌથી મોટું અને એકમાત્ર મ્યુઝિયમ કયું છે ?
  • 98. વ્યક્તિગત સુખાકારીને જાળવવાના અથવા વધારવાના ધ્યેય સાથે સંકળાયેલી મુસાફરી અને આનંદ અથવા વ્યવસાય માટે મુસાફરી કરતી વખતે શારીરિક, માનસિક, આધ્યાત્મિક અથવા પર્યાવરણીય સુંદરતાની શોધનો સમાવેશ થાય છે.' તેનુ નામ ક્યું છે ?
  • 99. ભારતનો સૌથી લાંબો રોડ બ્રિજ કયો છે ?
  • 100. મહાત્મા મંદિરના તમામ સેમિનાર હોલની કુલ બેઠક ક્ષમતા કેટલી છે?
  • 101. FASTagનું સમગ્ર સંચાલન કોણ કરે છે ?
  • 102. નીચેનામાંથી કયો મુખ્ય કોરિડોર માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો નથી?
  • 103. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ક્યારે શરૂ કરવામાં આવ્યો ?
  • 104. ભારતના ચાર મહાનગરો વચ્ચેનો સમય અને અંતર ઘટાડવા માટે કયો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે ?
  • 105. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે કેટલી સહાય મળવા પાત્ર છે ?
  • 106. કઈ સમિતિ/કમિશને ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમની ભલામણ કરી હતી ?
  • 107. કઈ યોજના થકી બાળકીનાં માતાપિતાના ખાતામાં પૈસા જમા કરાવવા પર વધારે વ્યાજ દર મળે છે ?
  • 108. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ?
  • 109. નોકરીના સંદર્ભમાં OJASનું પૂરું નામ શું છે ?
  • 110. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કુટુંબની વાર્ષિકઆવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 111. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
  • 112. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 113. ઇન્સ્ટ્રુમેન્ટલ આસિસ્ટન્ટ ફોર મેડિકલ, ઇજનેરી, ડિપ્લોમા સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
  • 114. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીનાં બાળકોના શિક્ષણ માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?
  • 115. મેડિકલ, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી, પોલિટેક્નિકલ, લો, એમબીએ, બાયોસાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મોંઘાં પુસ્તકો ખરીદવાં ન પડે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
  • 116. કયા પોર્ટલ પર રમતવીર-ખેલાડી તેમની સિદ્ધિઓ અપલોડ કરી શકે છે જેનાથી તેઓને સરકારી યોજનાઓનો લાભ મળી શકે ?
  • 117. હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના ક્યા જિલ્લામાં કાર્યરત છે ?
  • 118. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ વિદ્યાર્થીઓને પ્રતિમાસ અભ્યાસની સાથે કેટલા રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળે છે ?
  • 119. ખેલો ઈન્ડિયા- 2022 અંતર્ગત 10 મી. એરરાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા ખેલાડીનું નામ આપો.
  • 120. નારી અદાલતમાં ન્યાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
  • 121. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની સહાય મેળવવા માટે કેટલા દિવસ પૂર્વે આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડે છે ?
  • 122. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ?
  • 123. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ?
  • 124. માતા તેમજ નવજાત બાળકને હોસ્પિટલથી તેમના ઘરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ એમ્બ્યુલન્સ સેવા કયા નામે ઓળખાય છે ?
  • 125. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel