Ads

31 જુલાઈ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


31 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 31/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. ગુજરાત સરકારના 20 વર્ષ દરમ્યાન વોટર ટેસ્ટિંગ લેબની સંખ્યા 6થી વધારીને કેટલી કરવામાં આવી ?
  • 2. ગુજરાત રાજ્યમાં કયો બેરેજ કલ્પસર યોજનાનો ભાગ છે ?
  • 3. માનનીય વડાપ્રધાન દ્વારા ભારતમાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NADCP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 4. કયા કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત દ્વારા ખાસ આધુનિક ખેતપદ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે ?
  • 5. સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે ?
  • 6. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઇ-બૂક્સ અને ઇ-કન્ટેન્ટ્સનું સ્ટોર હાઉસ કયું છે ?
  • 7. ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની ગુણવત્તા સુધારવા માટે આપવામાં આવતો ક્રમાંક કયા નામથી ઓળખાય છે ?
  • 8. ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગાંધીનગરની કઈ બે યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી ?
  • 9. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આઈટીઆઈ/પ્રોફેશનલ કોર્સીસ માટે સ્કોલરશીપ/સ્ટાઈપેન્ડ મેળવવા અરજી કરી શકે છે ?
  • 10. ટેલેન્ટ પુલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને કેટલાનું કેશ વાઉચર આપવામાં આવે છે ?
  • 11. એન્જીનિયરીંગ, કોમ્પ્યુટર એપ્લિકેશન, ફાર્મસી, મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ અને કેટરીંગ ટેકનોલોજીના કાર્યક્રમોને માન્યતા આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ સ્વતંત્ર એજન્સી બનાવવામાં આવી હતી ?
  • 12. સૌભાગ્ય યોજનાની શરૂઆત ક્યારે થઈ ?
  • 13. ગુજરાતની ગૃહિણીઓ માટે ગુજરાત સરકારનો કયો પ્રૉજેક્ટ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટમાંનો એક છે ?
  • 14. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
  • 15. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
  • 16. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ના ખાતાધારકના ઓવરડ્રાફ્ટ સુવિધાની મર્યાદા કેટલી છે ?
  • 17. કોઈપણ નોંધાયેલ વ્યક્તિ, જેનું GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા તેમની પોતાની દરખાસ્તથી રદ કરવામાં આવે છે, તે આવા અધિકારીને રદ કરવાના હુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકે છે ?
  • 18. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (GSFS)એ કયા વર્ષથી તેની કામગીરી (operations) શરૂ કરી ?
  • 19. ભારતમાં જીડીપીનો સમાવેશ કરતા રાષ્ટ્રીય હિસાબો તૈયાર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?
  • 20. જૂનાગઢ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
  • 21. NFSA હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને (PHH) ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
  • 22. ગુજરાત રાજ્યમાં ગ્રાહકના માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
  • 23. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 24. સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે ગુજરાત ગરિમા એવોર્ડ-2022 કોને અર્પણ કરવામાં આવ્યો હતો ?
  • 25. કોની અધ્યક્ષતામાં વતનપ્રેમ યોજના હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?
  • 26. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાનું નામ શું છે ?
  • 27. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો ગુજરાતના કયા શહેરમાં આવેલો છે ?
  • 28. ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા ?
  • 29. 'ઉત્તરરામચરિત'ની રચના કોણે કરી છે ?
  • 30. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવવા ગુજરાત સરકારે કઈ સાઇટને વિકસાવી છે ?
  • 31. ગાંધીજીના સમાધિસ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે ?
  • 32. ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 33. સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઈ સદીમાં બાંધવામાં આવી હતી ?
  • 34. પાલિતાણામાં કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે ?
  • 35. સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્ત્વ છે ?
  • 36. દ્વારકામાં સૌપ્રથમવાર મુસ્લિમ શાસન કોણે સ્થાપ્યું હતું ?
  • 37. મેડમ ભીખાજી કામાએ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય ધ્વજ ક્યાં લહેરાવ્યો હતો ?
  • 38. વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારથી કેટલા ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?
  • 39. જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ?
  • 40. ‘Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા ?
  • 41. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિત્વ સુપેરે પ્રગટ થાય છે ?
  • 42. પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું હતું ?
  • 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં શુક્ર ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
  • 44. કયો છોડ કૃતિકા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
  • 45. મૃગશિરા નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
  • 46. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણ નિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  • 47. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કુકરની ફળવણી કરી આપવામાં આવે છે ?
  • 48. પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?
  • 49. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વનકુટીર યોજનાનો લાભ કોણ લઈ શકે ?
  • 50. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોની વસ્તી ધરાવતા ગામોને ગામદીઠ કેટલા કોમ્યુનિટી કૂકીંગ ઈક્વિપમેન્ટ યોજનાનો લાભ મળે છે ?
  • 51. રજિસ્ટર્ડ મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને વધુમાં વધુ કેટલા રોપાની મર્યાદામાં રોપા દીઠ ૨૦ પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?
  • 52. ગુજરાત સરકાર દ્વારા કેટલા પક્ષી અભયારણ્યની જાળવણી કરવામાં આવે છે ?
  • 53. ભારતીય પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (પિન) કોડમાં કેટલા અંકો છે ?
  • 54. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ કયા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે ?
  • 55. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 56. જનજાતીય ગૌરવ દિવસ કોને સમર્પિત છે ?
  • 57. ભારત ગૌરવ ટ્રેન કયા દિવસથી શરૂ કરવામાં આવેલ છે ?
  • 58. ભારત સરકારની કઈ એજન્સી ભારતને ડ્રગ હેરફેર અને દુરુપયોગ મુક્ત બનાવવા માટે કામ કરે છે ?
  • 59. દિવ્યાંગ વ્યક્તિ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 60. નીચેનામાંથી કઈ જમીન ચાની ખેતી માટે યોગ્ય છે ?
  • 61. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ શો છે ?
  • 62. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 63. જનની સુરક્ષા યોજનાનો લાભ સ્ત્રીને ક્યાં સુધી મળી શકે ?
  • 64. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે ?
  • 65. PMBJPનું પૂરું નામ શું છે ?
  • 66. સી. ડી. એન. સી.નું પૂરું નામ જણાવો.
  • 67. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા અથવા અસ્તિત્વ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે ?
  • 68. ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કેટલા રૂપિયાની સહાય મેળવી શકાય છે ?
  • 69. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
  • 70. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
  • 71. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની લાભપ્રદ બાબત કઈ છે ?
  • 72. ગુજરાતમાં ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન), ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક રોકાણ વિસ્તાર, નીચેના પૈકી કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
  • 73. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
  • 74. ગુજરાત ગ્રામીણ શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત મીઠાના કામદારો માટે કેટલાં કલ્યાણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે ?
  • 75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના અંતર્ગત શ્રમયોગીનાં બાળકોને સી.એસ.માં અભ્યાસ માટે કેટલી સહાય મળવાપાત્ર છે ?
  • 76. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજના અંતર્ગત કેટલાં સ્થળો પ્રવાસ માટે નિયત થયાં છે ?
  • 77. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયા સહાય આપવામાં આવે છે ?
  • 78. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળના લાભ બાંધકામ કામદારોનાં કેટલાં બાળકો સુધી સીમિત રાખવામાં આવ્યા છે ?
  • 79. લોકસભામાં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન બિલ કોણે રજૂ કર્યું ?
  • 80. રાજ્યના મુખ્યમંત્રી કોના માટે જવાબદાર છે ?
  • 81. બંધારણના ઉદ્દેશનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે ?
  • 82. નીચેનામાંથી કયું અંગ ભારતમાં મૂળ લોકશાહી સુનિશ્ચિત કરે છે ?
  • 83. કટોકટીની ઘોષણા કાર્યરત હોય ત્યારે રાજ્ય સરકારની મર્યાદાઓમાંની એક કઈ છે ?
  • 84. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટીનો દર કેટલો છે ?
  • 85. કયા વિભાગે 8 એ ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ?
  • 86. લેન્ડ રાઈટ ઓફ રેકર્ડની ઓનલાઈન અધિકૃત નકલો ક્યાંથી મેળવી શકાય છે ?
  • 87. ભારતનો ત્રીજો સૌથી ઊંચો કોંક્રીટ ડેમ કયો છે ?
  • 88. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની સબસિડી લાભાર્થીને કેવી રીતે મળે છે ?
  • 89. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે પરંપરાગત સરહદ કઈ નદી બનાવે છે ?
  • 90. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?
  • 91. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?
  • 92. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો હેતુ શો છે ?
  • 93. ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શુ છે?
  • 94. સ્માર્ટ સિટી મિશન કયા પ્રધાનમંત્રીના કાર્યકાળમાં શરૂ કરવામાં આવ્યું છે ?
  • 95. ગુજરાતની વતનપ્રેમ યોજનામાં વિકાસનાં કામો માટે નામાભિધાન અથવા નામની તકતી લગાવવાની જોગવાઈ કોના માટે કરવામાં આવી છે ?
  • 96. કઈ યોજના હેઠળ કોવિડ-19માં અસરગ્રસ્ત આરોગ્ય કર્મચારી દીઠ રૂ. 50 લાખનું વીમા કવરેજ આપવામાં આવે છે ?
  • 97. ગુજરાતમાં કઈ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક, આર્થિક વિકાસને ઉત્તેજિત કરવાનો, મૂળભૂત સેવાઓમાં વધારો કરવાનો અને સુઆયોજિત રુર્બન ક્લસ્ટર બનાવવાનો છે ?
  • 98. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની વય પ્રાપ્ત કરવા પર અમુક બાકાત માપદંડોને આધીન, ઓછામાં ઓછું કેટલી રકમનું નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે ?
  • 99. સાગરમાલા પ્રોજેક્ટ દ્વારા અંદાજે કેટલી નવી સીધી નોકરીઓ પેદા થશે ?
  • 100. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
  • 101. સિંધુદર્શન યોજના અંતર્ગત કયું રાજ્ય તીર્થયાત્રીઓને સૌથી વધુ નાણાકીય સહાય પૂરી પાડે છે ?
  • 102. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?
  • 103. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એ આમાંથી કયાં રાજ્યો સાથે કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે?
  • 104. જુલાઈ 2021માં મહેસાણા-વરેઠા ગેજ કન્વર્ટેડ કમ ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ લાઇન (વડનગર સ્ટેશન સહિત)નું ઉદઘાટન કોણે કર્યું હતુ ?
  • 105. આસામના ધોલા-સાદિયા પુલનું બાંધકામ કયા વર્ષમાં પૂર્ણ થયું હતું ?
  • 106. ગુજરાતમાં ગામડાઓની કુલ સંખ્યા કેટલી છે ?
  • 107. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કર્યું હતું ?
  • 108. ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે મધ્યમ આવક જૂથ-1 માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કેટલી છે ?
  • 109. કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ?
  • 110. કોવિડ-19 દરમિયાન ઈન્ટરનેટની ઍક્સેસ ન ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કઈ ચેનલ ઉપયોગી બની ?
  • 111. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સૌભાગ્ય યોજનાનો હેતુ શું છે ?
  • 112. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
  • 113. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે ગ્રામ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 114. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 115. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ કેટલાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
  • 116. કોલેજ સાથે સંકળાયેલ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય તરીકે દસ માસ સુધી દર મહિને કેટલા રૂપિયા આપવામાં આવે છે ?
  • 117. સરકારશ્રીની વિધવા સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  • 118. ફેલોશિપ સ્કીમ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ?
  • 119. અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરકારની કઇ યોજના કાર્યરત છે ?
  • 120. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય યોજના અંતર્ગત કુમાર વિદ્યાર્થીઓ માટે કૌટુમ્બિક આવક-મર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 121. કસ્તુરબા પોષણ સહાય યોજના મેળવનાર લાભાર્થીએ સગર્ભાવસ્થાના પ્રથમ છ માસના ગાળામાં કોની પાસે નોંધણી કરાવવી પડે છે ?
  • 122. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ કેટલી વાર્ષિક આવક ધરાવતી મધ્યમ વર્ગીય મહિલાને મળે છે ?
  • 123. નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના લાભનો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
  • 124. ગુજરાત સરકારની વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત કન્યા કયું ધોરણ પાસ કરે તે પછી બોન્ડની રકમ વ્યાજ સહિત પાછી આપવામાં આવે છે?
  • 125. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કન્યાના 21 વર્ષ પૂર્ણ થતા ખાતામાં જમા કુલ રકમમાંથી કેટલા ટકા રૂપિયા ઉપાડી શકાય ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel